રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી ....



પાટણ રાધનપુર

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી ....

અયોધ્યામાં અને સમગ્ર ગુજરાતમાં જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે...ઠેર ઠેર ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી થઈ રહી છે... ત્યારે

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા સમગ્ર ગામને ભગવા ધ્વજા થી શણગારવામાં આવ્યું...

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામ મહોત્સવનો અનેરો આનંદ .... સમગ્ર ગામમાં પ્રભુ શ્રી રામના ફોટા, સ્ટીકર, ધ્વજા, રામ મંદિર નાં શણગાર સહિત ઘરે ઘરે ધ્વજા બાંધવામાં આવી.....

દરરોજ રામજી મંદિર ખાતે સાંજે અને સવારે  રામધૂન બોલાવામા આવે છે..અને સાથે સાથે રામજી મંદિરે રાત્રે સુંદરકાંડ હનુમાન ચાલીસા રામધૂન રામનામના ભજનો વગેરે કરવામાં આવે છે.. જેનું આયોજન સમગ્ર કલ્યાણપુરા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે...

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post