અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પાંસા ગામ નજીક પથ્થરમારાની ઘટના, અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો


 અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પાંસા ગામ નજીક પથ્થરમારાની ઘટના, અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો

અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પાંસા નજીક પથ્થર મારાની ઘટના ઘટી છે. પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ ઘટના સામે આવી છે. બસના ડ્રાઇવર  કંડકટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની ગાડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને  બસને અંબાજી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. 

આ ઘટના પાંસા અને ધાબાવાવ ગામ વચ્ચે બની હતી. રસ્તામાં બાઈક આડી ઉભી કરીને બસને રોકવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અંબાજી પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 3 બાઇક પકડી અંબાજી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી છે. આ ઘટનામાં બસમાં બેસેલા મુસાફરોમાં ભય ફેલાયો હતો, જો કે એકપણ મુસાફરને ઇજા થઇ નથી. એસટી બસને અંદાજે 25થી 30 હજારનું નુકસાન થયું છે. પથ્થરમારો કરી નાસી છૂટેલા અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post