પરિણામ મામલે એનએસયુઆઈ અને નીટના વિધાર્થીઓ દ્રારા હાઈવે માર્ગ પર ચકકાજામ કરાયો



 સે એનએસયુઆઈ ના કાર્યકરો અને નીટના વિધાર્થીઓની અટકાયત કરી: કોગ્રેસ વિદ્યાર્થી સંગઠન NSUI દ્રારા નીટના વિદ્યાર્થીઓને સાથે રાખીને  મંગળવારના રોજ પાટણના ઊંઝા ત્રણ રસ્તા પર નિટ ની પરીક્ષા મામલે રસ્તા રોકો આદોલન કરી માગૅ ચક્કાજામ કરી ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બનતાં અને આ આદોલન મામલે પોલીસ ને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આંદોલનકારી એને સિવાયના કાર્યકર્તાઓ અને નીટના વિદ્યાર્થીઓને માર્ગને ખુલ્લો કરવા સમજાવ્યા હતા પરંતુ પોલીસની સમજાવટ બાદ પણ એન એસ યુ આઈ ના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓએ પોતાનું ચક્કાજામ આંદોલન ચાલુ રાખી ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરતા પોલીસે બળ પ્રયોગ કરી એમ.એસ.યુ. આઈ ના કાર્યકર્તાઓ તેમજ  નીટના વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી તેઓની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

નીટની પરીક્ષા અને પરિણામમાં ગોબાચારીના થયેલા આક્ષેપને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે પાટણ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા નીટ મામલે ઉંઝા ત્રણ રસ્તા પર  નીટના વિદ્યાર્થીઓને સાથે રાખીને ચકકાજામ નો કાર્યક્રમ યોજી ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. NSUI અને નીટના વિધાર્થીઓએ નીટની પરીક્ષા ફરીવાર લેવામાં આવે તેવી માગ કરી હતી.

જોકે હાઈવે માગૅ ચકકાજામ થવાની ધટના મામલે પોલીસે ધટના સ્થળે આવી એન એસ યુ આઈ ના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓની અટક કરી માગૅ ખુલ્લો કરવામાં આવ્યો હતો.


admin ગોવાભાઈ આહીર પાટણ

patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post