સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમની બેદરકારીથી કેનાલોમાં ગાબડાં પડવાં શરૂ મઢુત્રા અને ડાભી ઉનરોટ પાસે કેનાલમાં ગાબડાં પડતાં પાણી વાવેતર કરેલા ખેતરોમાં ફરી વળ્યા
કેનાલ મેન્ટેનન્સ , સમારકામ કરતાં કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવા જનમત
વારાહી સામે આવી હતી . કચ્છના રણને અડીને આવેલા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો રવિ પાક પર નિર્ભર છે ત્યારે રવિ સીઝનની શરૂઆતમાં કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે . શિયાળાની શરૂઆત પહેલા કેનાલો નું મેન્ટેનન્સ તેમજ રીપેરીંગ કામ નર્મદા નિગમની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે . પરંતુ સિઝન ટાણે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી છોડવામાં આવે ત્યારે જ કેનાલોમાં ગાબડા પડતાં કેનાલની કામગીરી સામે સવાલો ઊભા થાય છે .
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા રવિ સિઝનની ખેતીની શરૂઆત કરવામાં આવી છે . પણ ખેતીની શરૂઆતમાં જ નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે તાલુકામાં એક જ દિવસે બે સ્થળે માયનોર કેનાલમાં ગાબડાં પડતાં કેનાલના પાણી જીરાના વાવેતર વાળા ખેતરોમાં ફરી વળ્યા હતા . ગાબડાને લઇ કેનાલ રિપેરીંગ અને મેન્ટેનન્સનું કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી .
સાંતલપુર તાલુકામાં મઢુત્રા પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં સાત ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા . જ્યારે તાલુકાનાં ડાભીનરોટ પાસેથી પસાર થતી જારુસા માઇનોર કેનાલમાં પણ પાંચ ફૂટ જેટલું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરમાં પાણી ઘૂસી જતાં બંન્ને જગ્યાએ ખેતરો તળાવમાં ફેરવાયા હતાં . એક જ દિવસમાં બે માઇનોર કેનાલમાં પાંચ અને સાત ફૂટના ગાબડા પડતા નર્મદા નિગમની ઘોર બેદરકારી