સુરત/ 2 લાખની સામે વ્યાજના 50 લાખ ઉઘરાવવાના કેસમાં પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો


 સુરત/ 2 લાખની સામે વ્યાજના 50 લાખ ઉઘરાવવાના કેસમાં પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો

વ્યાજંકવાદ સામે ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં વાડ જ ચિભડા ગળતી હોય તેવો ઘાટ સર્જાયો હતો. જો કે, પોલીસે તેમાં આકરી કાર્યવાહી કરી છે. જેમાં નિવૃત પોલીસ જવાનના પુત્રને ઝડપી લેવામાં આવ્યો છે. જેમણે 2 લાખની સામે 50 લાખ રૂપિયા ઉઘરાવવા માટે પઠાણી ઉઘરાણી કરી હતી.

અમરોલીના કાપડ વેપારી પાસે 2 લાખની સામે વ્યાજ ના 50 લાખ ઉઘરાવાનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો છે. અમરોલી પોલીસે નિવૃત પી આઈના પુત્ર મહાવીરસિંહની કરી ધરપકડ કરી છે.અગાઉ વ્યાજખોર સામે પોલીસએ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. પરંતુ સુધરે એ બીજાના નાતે આ આરોપી દ્વારા ફરીથી વ્યાજંકવાદ શરૂ કરવામાં આવ્યો હતો. આ અંગે અમરોલી પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામીને ફરીથી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post