કઠલાલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને 32 વર્ષના યુવાનની આત્મહત્યા


 

કઠલાલ નગરમાં 32 વર્ષના યુવાન દ્વારા વ્યાજ ખોરોના ત્રાસથી આજ વહેલી સવારના સમયે અગમ્ય કારણોસર તેઓના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

કઠલાલ સોલાની ખડકીમાં રહેતા અને બજારમાં લસણ મરચાની દુકાન કરતા ધર્મેન્દ્ર ઉર્ફે મિર્ચી ને છેલ્લા એકાદ બે વર્ષથી નાણાંની જરૂરિયાત ઊભી થતા કઠલાલ બજારમાંથી જુદી જુદી વ્યક્તિઓ પાસેથી નાણા વ્યાજથી મેળવ્યા હતા. પરંતુ તેઓ આ લેણદારોની નિયમિત રૂપે વ્યાજ તથા મુદ્દલ નહીં ચૂકવી શકતા તેઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજના આપે તો બોલાચાલી કરી ઘરે આવી ઝઘડો કરતા અને વારંવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી મારી નાખવાની વાત કરતા હતા.મરણ જનાર ધર્મેન્દ્ર ઉર્ફે મિર્ચીની બેન દીપીકા કાલવાણીને આ હકીકતની ખબર હોય તેઓ દ્વારા કઠલાલ પોલીસ મથક ખાતે ગોપાલ રબારી, મેહુલ બ્રહ્મભટ્ટ, ઈરફાન વહોરા, નવરંગભાઈ વાંસફોડા, મિતલબેન મયંકભાઇ વાઘરી , મયંકભાઇ વાઘરી, તેમજ મહેશ ભાઈ રબારી સામે પઠાણી ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આપનાર વ્યાજ ખોરો સામે આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ કઠલાલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.ત્યારે કઠલાલ નગરમાં છેલ્લા કેટલાય સમયથી સ્કીમો અને નાણાં ધીરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે ધિરાણ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે અને તેના ચક્કરમાં કેટલાય લોકો ફસાયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post