સુરેન્દ્રનગર : લીમડીના બળોલમાં તળાવમાંથી ભેંસો બહાર કાઢવા જતા બે બાળકો ડૂબ્યા, બંનેના મોત
લીમડીના બળોલ ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ બંને બાળકો તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા. આ દરમિયાન કિશોરો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બળોલ ગામમાં ગુરૂવારે બે બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બાળકો તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરીઆ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના નામ1.
હર્ષદ બચુભાઈ ડાંગર( વય-15)
2.પ્રવીણ મીઠાભાઈ ડાંગર(વય -13)
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ
Tags
समाचार