મણીનગરની એલજી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ ભ્રુણ ફેંકીને ફરાર : પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
બાથરૂમના પાછળના ભાગમાં મૃત બાળકીનું ભ્રૂણ પડ્યું હતું
અમદાવાદ, બુધવાર
અમદાવાદના મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ પરિસરમાંથી મૃત હાલતમાં ભ્રૂણ મળી આવતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે. 24 થી 28 અઠવાડિયાનું મૃત બાળકીના ભ્રુણને લઈને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલના સફાઈ કામદાર સુજલબેન નવી એલ.જી. હોસ્પિટલના કેઝ્યુલ્ટી વિભાગના બાથરૂમમાં તેમનો સામાન લેવા માટે ગયા હતા. ત્યારે તેમની નજર બાથરૂમના પાછળના ભાગમાં પડેલા ભ્રુણ ઉપર પડી હતી. જેથી તુરંત જ તેઓએ આ બાબતે હોસ્પિટલના અધિકારીઓને જાણ કરતા સૌ કોઈ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી મૃત ભૃણને લેબર રૂમમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તપાસ કરતા આ મૃત બાળકીનું ભ્રુણ 24 થી 28 અઠવાડિયાનું હોવાનું સામે આવતાં સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ભ્રુણ કોણ નાખી ગયું તે દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.