સાંતલપુરના કલ્યાણપુરાના શખ્સ મકાન બનાવવા 2 વીજ થાંભલા તોડી નાખ્યા

 સાંતલપુરના કલ્યાણપુરાના શખ્સ મકાન બનાવવા 2 વીજ થાંભલા તોડી નાખ્યા


વીજ કંપનીને જાણ કર્યા સિવાય મકાન ઉપરથી પસાર થતા વાયરના થાંભલા તોડી દેવાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ


  ગામે રહેતા ગોવિંદભાઈ ભુરાભાઈ આયર દ્વારા જમીનમાં પ્લોટિંગ કરાયું છે અને તેમની માલિકીના નવા મકાનનું કામ ચાલી રહ્યું છે પરંતુ તે મકાન ઉપર સાંતલપુર વિસ્તારના ખેતીવાડીના ફીડરના વીજ લાઈનના થાંભલાના વાયર પસાર થઈ રહ્યા હોઇ ગોવિંદભાઈ આય ૨ દ્વારા વીજ કંપનીને જાણ કર્યા સિવાય વીજ લાઇનના બે થાંભલા ઈરાદાપૂર્વક  નીચેથી તોડી નાખીને પાડી દઈ જાહેર સંપતિને રૂ . 15,000 નું નુકસાન કર્યું હોવાનું જણાતાં વીજ કંપનીના રાધનપુર ખાતેના કર્મચારી ભાવેશભાઈ પટેલ દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આઇપીસી અને સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે . પોલીસે તેની તપાસ હાથ ધરી છે .


સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે એક શખ્સ દ્વારા તેના મકાનની કામગીરી કરવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીના લાઈટના બે થાંભલા તોડી નાખ્યા હતા . જે હકીકત ધ્યાને આવતાં તેના સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .


સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા


patan live news GJ 24


govabhai p ahir


Post a Comment

Previous Post Next Post