ભાવનગર : મહુવામાં જમાઈએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, આરોપી જમાઈને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
ભાવનગરના મહુવામાં જમાઈએ સસરાને પાઈપ તેમજ છરીના ઘી ઝીંકી પતાવી દીધા છે. બીજી તરફ આ બનાવના મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી જમાઈને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આજે જમાઈએ સસરા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. પતિ-પત્ની વડાળ ગામથી મહુવા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન જમાઈએ બાઈક લઈને આવેલા સસરા સનાભાઇ દાઠીયાને પાઇપ મારી નીચે પાડી દીધા હતા. જે બાદ છરીના ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. પરિણામે તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ પણ વાંચો અમદાવાદ / વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે CID ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ નોંધ્યો ગુનો રાજુલાનાં કુંભારીયા ગામે રહેતા તુલસી ખીમાભાઈ ચૌહાણના લગ્ન મૃતક સનાભાઈ દાઠીયાની દીકરી સાથે થયા હતા. લગ્ન બાદ આરોપી પતિની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી. જોકે, બાદમાં દીકરીને પરત સાસરે ન મોકલતા જમાઈએ સસરાની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિત મળી રહી છે.