સુરતના અડાજણમાં 20 વર્ષની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરે આત્મહત્યા કરી, પોલીસને મૃતદેહ પાસેથી મળી આવી સ્યુસાઈડ નોટ
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં 20 વર્ષીય મનશ્રી કે વેંક્ટસન નામની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરના કારણે આપઘાત કરી લીધો છે. મનશ્રીના પિતા મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ છે તથા તેની એક ટ્વિન્સ બહેન પણ છે. વિદ્યાર્થિની સુપરિન્ટેન્ડન્ટ સ્કેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી.
નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ
જેમાં નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી. ઘરે એકલી હતી ત્યારે પ્લાસ્ટિકની બેગ માથે પહેરીને બેગ બંધ કરી આપઘાત કરી લીધો હતો.જેની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં તેના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી
મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી, તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી..જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવત, હું ભારણ બનવા માંગતી નથી તેવું લખેલું મળી આવ્યું હતું..આ સ્યુસાઈડ નોટ તેણે અંગ્રેજીમાં લખી હતી..અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ