ત્રણ મહિનાથી પુલ ડેમેજ છતાં કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈને બેઠું તંત્ર
સિધાડા જર્જરિત પુલ પરથી પસાર થવા વાહનચાલકો મજબૂર
લોકોના માથે જોખમ નર્મદા વિભાગનું કલેક્ટરને જાણ કરી હોવાનું રટણ , સ્થાનિક કચેરીના કર્મચારીઓ પુલ તૂટવા બાબતે અજાણ
| સાંતલપુર તાલુકાના સિપાડા કસ્ટમ રોડ પર ઝઝામ ગામ નજીક આવેલ પુલ હાલમાં ડેમેજ તેમજ જર્જરિત હાલતમાં છે.તેમ છતાં પુલ પર હાલમાં પણ હેવી વાહનોની અવરજવર થાવ રહેતા પુલ પરથી પસાર થતા તેવી વાહનો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે.ત્યારે જોખમી રીતે પુલ પરથી પસાર થતા વાહનોની અવરજવરને કારણે પુલ વધુ ડેમેજ થશે તો કસ્ટમ રોડ પર મોટી દુર્ઘટના સર્જાવાની ભિતી સેવાઈ રહી છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહિ કરાતા અને દુર્ઘટના ઘટે તેવી સ્થિતી હોવા છતા હેવી વાહનોની અવરજવર યથાવત રહેતા જાણેકે તંત્ર આંખ આડા કાન કરી કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈને બેઠું હોય તેવુ લાગી રહ્યુ છે . છે.અને આ પુલ નર્મદા વિભાગના તાબામાં છે.પુલની હાલત જર્જરિત છે ત્રણ મહિના જેટલા સમયથી નરમદા વિભાગે પુલને ડેમેજ જાહેર કરી દિધો છે.અને પુલ હેવી વાહનો ચાલવા યોગ્ય નથી તેવુ જાહેર કર્યું છે.અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.જો કે નર્મદા વિભાગ માત્ર પુલ ડેમેજ જાહેર કર્યો છે પરંતુ કોઈ જ કામગારી નહિ કરતા પોતની જવાબદારીમાં છટકી રહ્યુ છે.પુલ પરથી દિવસ રાત હેવિ લોડિંગ વાહનોની બે હજાર જેટલી ટુંકા પસાર થાય છે . ફોટો : ટ્રેક્ટર પલટી જતા સંપૂર્ણ પુલ ડેમેજ
ગત બુધવારે પંજાબથી ગુજરાત નવીન ટ્રેકટર ટેલરમાં ભરીને સિધ્ધાડા કસ્ટમ રોડ પરથી પુલ નજીક ખરાબ રસ્તાને કારણે રસ્તો તુટી પલટી જવા પામ્યુ હતુ અને સંપુર્ણ પણે ક્ષતિગ્રસ્ત થવા પામ્યુ હતુ.ખરાબ રસ્તાને કારણે સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ખરાબ રસ્તાને કારણે કોઈક વાહનો ધીમા પડતા નાની મોટી
સાંતલપુર તાલુકાના સિધાડા કસ્ટમ રોડ સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના તાબામાં આવે છે.જ્યારે આજ રોડ પરથીને કોસ કરીને કચ્છ કેનાલ પણ ઝઝામ ગામ નજીકથી પસાર થાય છે.ત્યારે કેનાલ પર નર્મદા વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવેલ
કલેકટરને પત્ર લખી જાણ કરી
નર્મદા વિભાગના અધિકારી પ્રકાશ પરમાર દ્વારા જણાવ્યુ . હતુ કે પુલ સંપુર્ણ ડેમેજ છે અમે પુલ પર પહેલા બોર્ડ પણ લગાવેલ હતુ હેવી વાહનો અહીંથી ચલાવવા જોખમ ભર્યા છે.હેવી વાહનો ચાલવાથી દુર્ઘટના થઈ શકે તેમ છે.અમે જીલ્લા કલેકટરો બે ત્રણ મહિના પહેલા જાણ કરી છે . ચોરીએ થવાની ઘટનાઓ પણ બનતી રહે પરંતુ નાની ચોરી હોવાથી પોલીસ ચોપડે ટ્રક ધારકો ફરીયાદ નોંધાવતા નથી તેથી પોલીસ ચોપડે પણ સિધાડા કસ્ટમ રોડ પર ચક્કી ચોરીઓ ચડતી નથી .
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ