અધવચ્ચે કાળ ભરખી ગયો :





રાધનપુર - વારાહી નેશનલ હાઈવે પર કારને પાછળથી ટ્રેલરે ટક્કર મારી , કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત

રાધનપુર ના વારાહી નેશનલ હાઇવે નં . 27 માર્ગ ઉપર કલ્યાણપુરા ગામના પાટીયા નજીક બુધવારે સવારે કાર અને ટેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મા કારચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશ મા આવવા પામી છે .

અકસ્માત ઘટનાની મળતી હકીકત મુજબ રાધનપુર વારાહી નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ કલ્યાણપુરા ગામના પાટીયા પાસે થી બુધવારની સવારે પસાર થઈ રહેલ કાર પાછળ ટેલર ચાલકે ધડાકાભેર પોતાનું ટેલર અથડાવતા કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો તો કારમાં બેઠેલા ચાલકનું ગંભીર ઈજાઓના કારણેઘટના સ્થળે મોત નિપજ્યું હતું .

નેશનલ હાઇવે 27 પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊઠી પડ્યા હતા અને હાઇવે પર વાહનોની કતારોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા . તો બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું

છે .

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post