ગુજરાતના રાજકારણના મોટા અહેવાલ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો

ગુજરાતના રાજકારણના મોટા અહેવાલ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે, કોંગ્રેસમાં મોટું ભંગાણ થાય તેવી અટકળો હાલ સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. ઉતરાયણ પછી રાજ્યના રાજકારણમાં મોટો ભૂંકપ સર્જાય તેવી શક્યતાઓ સામે આવી છે.

2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ગોઠવાશે તેવી અટકળો

2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ગોઠવાશે તેવી અટકળો ચર્ચાઈ રહી છે. અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પક્ષમાં મોટો ચહેરો છે, અને ઘણા વર્ષેથી પક્ષ સાથે જોડાયેલા છે. આ પહેલા પણ સંખ્યાબંધ કોંગ્રેસના નેતાઓએ પક્ષને રામ રામ કર્યા બાદ કેસરીયો ધારણ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થશે તો સ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post