પાટણ / હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા “મન કી અયોધ્યા” પંચ મહોત્સવનું આયોજન

પાટણ / હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા “મન કી અયોધ્યા” પંચ મહોત્સવનું આયોજન 
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવવાનો છે. જેને લઇને અત્યારે આખો દેશ રામ ભકિતના રંગે રંગાયો છે. ત્યારે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ દ્વારા તારીખ 18 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી ભગવાન રામને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. 
આ કાર્યક્રમોમાં કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, માયાભાઈ આહીર અને કિંજલ દવે જેવા કલાકારો ઉપસ્થિત રહીને લોકોને ભગવાન રામના વિચારો અને લોકગીતોનું રસપાન કરાવશે.

Patan live news GJ 24
Govabhai p ahir
  

Post a Comment

Previous Post Next Post