લો બોલો! અહીં નર્મદાની પાઇપ લાઇન ફિટ કર્યાને 10-12 વર્ષ વીત્યા, પણ પાણી માટે ગ્રામજનોના આજે પણ વલખા!


 લો બોલો! અહીં નર્મદાની પાઇપ લાઇન ફિટ કર્યાને 10-12 વર્ષ વીત્યા, પણ પાણી માટે ગ્રામજનોના આજે પણ વલખા!

ઉનાળાના આરંભે જ ખાંભા ગીરના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. 2 હજારની વસ્તી ધરાવતા ખાંભા ગીરના ગીદરડી ગામમાં નર્મદાની પાઇપ લાઇન ફિટ કર્યાને 10-12 વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી ગીદરડી સુધી પહોંચતું ન કરતા ગીદરડી વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ 12 માર્ચ- ‘દાંડી સત્યાગ્રહ દિન’/ આઝાદીની ઐતિહાસિક યાદો સાથે જોડાયેલું સુરતનું ‘ભીમરાડ’ ગામખાંભા ગીર પંથકના ગીદરડી ગામની વસ્તી 2 હજારની છે, પણ ગીદરડી વાસીઓની કરમની કઠણાઈ એ છે કે ગામ સુધી નર્મદાની પાઈલ લાઇન પથરાઈ ગઈને પાણીના ટાંકા સુધી જોડાઈ પણ ગઈ હોવાને આજે 10થી 12 વર્ષ વીતી ગયા. પણ છતાં આજદિન સુધી એકવાર પણ ગીદરડી ગામને નર્મદાનું પીવાનું પાણી મળ્યું નથી. એક માત્ર કૂવો અત્યારે ખાલી થવા આવ્યો છે, ત્યારે ગ્રામજનોને પાણી માટે વાડીમાં ભટકવું પડે છે અને આખું ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે પરેશાન થઈ રહ્યું છે.ગીદરડી ગામમાં આવેલા એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળવળે છે. છેલા 15 દિવસથી એકધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે.ગ્રામજનો પોતાના કામધંધા બંધ રાખી સવારથી બપોર સુધી ટ્રેકટર અને બળદ ગાડામાં પાણી ભરી રહ્યા છે. નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીદરડીમાં જોવા મળી રહ્યો છે. અહીં એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઇન લગાવે છે, ત્યારે આ વખતે પીવાનું પાણી ન મળતા મજબૂરીથી સરપંચે લોકસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરતો પત્ર મામલતદાર સહિતના સત્તાધીશોને આપી દિધો છે.10-12 વર્ષથી નર્મદાના પીવાના પાણીની પાઇપ લાઇન નાખી દીધી છે. છેલા 5 મહિનાથી પીવાના પાણી માટેની રજુઆત સરપંચ દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્રના બાબુઓ કે નેતાઓના પેટનું પાણી નથી હલ્યું. પણ ચૂંટણી બહિષ્કારના પત્ર બાદ મામલતદાર દ્વારા પીવાના પાણીનું નિરાકરણ લાવવા ગીદરડી ગામે જઈને પ્રશ્નનું નિરાકરણની ખાત્રી આપી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post