સુરત/ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન, AAPના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત


 સુરત/ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન, AAPના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત 

સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘાં જોવા મળ્યા હતાં. વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત ન કરવા દેવા માગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી.પોલીસે કહ્યું કે, મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતાં પગલાં ભરાયા છે.

ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ -કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું હતું.આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે હોવાનું ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો કહેતા ઉમેર્યું કે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી ગઈ છે. જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલભેગા કરીને પોતે ચૂંટણી જીવતાનો કારસો કરી રહ્યાં છે. પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post