હિંમતનગરમાં ભાજપના કિસાન સંમેલનનો ફિયાસ્કો, ભાજપ નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા


  હિંમતનગરમાં ભાજપના કિસાન સંમેલનનો ફિયાસ્કો, ભાજપ નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા 

સાબરકાંઠા / હિંમતનગર ખાતે યોજાયેલા ભાજપના કિસાન સંમેલનનો ફિયાસ્કો થયો હતો. હિંમતનગરના કાંકરોલ સ્વામીનારાયણ મંદિર ખાતે કિસાન સંમેલન યોજાયું હતું.

હિંમતનગર ખાતે યોજાયેલા ભાજપના કિસાન સંમેલનનો ફિયાસ્કો થતા ભાજપ નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સ્થાનિક ભાજપ નેતાઓને વધારે સશ્રમમાં એટલે મુકાયા કેમ કે આ સંમેલનમાં મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ પ્રધાન કૈલાસ વિજયવર્ગીયની હાજરીમાં કિસાન સંમેલન યોજાયું હતું.ભાજપ આયોજીત કિસાન સંમેલનમાં ખેડૂતોએ આવવાનું ટાળ્યું હતું. કાર્યક્રમમાં અડધો અડધ ખુરશીઓ રહી ખાલી રહી હતી. કિસાન સંમેલનમાં ખેડૂતો ઓછા અને ભાજપના કાર્યકર્તાઓ વધુ જોવા મળ્યા હતા. જો કે, હવે હિંમતનગર ભાજપના સ્થાનિક નેતાઓના મનમાં ડર ફ્ર્લાઇ ગયો છે કે આ ‘કિસાન સંમેલનનો ફિયાસ્કો’ થયો છે એની જાણ જો પ્રદેશ લેવલે થશે તો શું થશે. લોકસભા ચૂંટણી નજીક હોવાથી અને ભાજપે સાબરકાંઠા લોકસભા જિલ્લાની બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે તો પણ આવા કાર્યક્રમનો ફિયાસ્કો ભાજપ માટે ખતરો બની શકે છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


Post a Comment

Previous Post Next Post